Thursday, January 23, 2014

જલ્દી કરોઃ 2005 પહેલાંના 'પૈસા' નહીં ચાલે? RBIનો નવો નિર્ણય



- ૨૦૦૫ પહેલાંની ચલણી નોટ પરત ખેંચાશે
- નવ વર્ષથી વધારે જુની નોટ આરબીઆઇ પરત લેશે
- તમામ બેન્કોએ જુની નોટની જગ્યાએ નવી નોટ આપવી પડશે
- જલ્દી કરોઃ 2005 પહેલાંના 'પૈસા' નહીં ચાલે? RBIનો નવો નિર્ણય, બેન્કો આપશે નવી નોટો!

૩૧ માર્ચ બાદ વર્ષ ૨૦૦પ પહેલાં છપાયેલી નોટ દેશની તમામ બેન્કો પરત લેવાનું શરૂ કરશે. રિઝર્વ બેન્કે બુધવારે આ મામલે આદેશ બહાર પાડયા છે. રિઝર્વ બેન્કે આ પગલા માટે કોઇ કારણ દર્શાવ્યુ નથી પરંતુ કાળાં નાણાં અને નકલી નોટને રોકવા માટે આ ક્વાયત હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આરબીઆઇના આદેશ ઉપર ૧લી જાન્યુઆરીથી અમલીકરણ શરૂ કરી દેવાશે.

૩૧મી માર્ચ પછી કોઇ પણ વ્યક્તિ પોતાની જૂની નોટને કોઇ પણ બેંકમાં જઇને બદલી શકશે. રિઝર્વ બેન્કે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, આરબીઆઇ ૩૧ માર્ચ પછી ૨૦૦પ પહેલાંની તમામ નોટ પરત લેશે પરંતુ સાથે સાથે આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે ૨૦૦પ પહેલાં બહાર પડાયેલી નોટની કાયદેસરતા ચાલુ રહેશે. એટલે કે ૩૧મી માર્ચ પછી પણ તમે તમારી પાસે નવ વર્ષ પહેલાંની અથવા તેનાથી જૂની નોટ હોય તો તે બજાર, બેન્ક અથવા અન્ય સ્થળે માન્ય ગણાશે. એ કામ બેન્કોનું હશે કે તેમની પાસે પહોંચેલી જૂની નોટ ફરીથી બજારમાં ફરતી ન થાય. ૧લી જુલાઇ પછી આઇડીની જરૂર પડશે.

આરબીઆઇના જણાવ્યા અનુસાર ૩૦મી જૂન સુધી કોઇ પણ વ્યક્તિ ગમે તેટલી સંખ્યામાં ૨૦૦પ પહેલાંની નોટ બેન્કમાં લઇ જઈને બદલી શકે છે. જોકે પહેલી જુલાઇ પછી નિયમ કડક થઈ જશે. પહેલી જુલાઇ પછી જો કોઇ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ન હોય તે બેન્કમાં ૧૦થી વધારે પ૦૦ની કે ૧૦૦૦ની નોટ બદલવા જશે તો તેને પોતાનું આઇડી કાર્ડ અને રેસિડન્સ પ્રૂફ બતાવવું પડશે.

0 comments:

Post a Comment