Thursday, January 23, 2014

આમ આદમી બન્યા વીઆઇપી



સીબીઆઇ ડાયરેક્ટર રંજિત સિંહાની પુત્રીનાં લગ્નના શાહી રિસેપ્શનમાં તમામ પ્રકારના વીઆઇપી આવ્યા. પક્ષના અને વિપક્ષના પણ. આ વાત ૧૯ તારીખની છે. તમામ વીઆઇપી લોકોને નિપટાવ્યા પછી બીજા દિવસે સિંહાએ સીબીઆઇ ખાતાના લિફ્ટમેનથી તમામ સ્ટાફ, સ્ટેનોને પણ આમંત્રિત કર્યા. રંજિત સિંહા જાતે બધાનું સ્વાગત કરી રહ્યા હતા અને તમામને પુત્રી-જમાઇ સાથે મુલાકાત પણ કરાવી. પછી એ જ મંડપ, એ જ રસોઇયા, એ જ સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી, જે વીઆઇપીઓ માટે હતી. સામાન્ય માણસને વીઆઇપીથી કમ હોવાનો અહેસાસ જ થવા ન દીધો. પોતાના વડાથી આવું વીઆઇપી સન્માન મેળવી સીબીઆઇનો જુનિયર સ્ટાફ ખૂબ જ ખુશ છે. આને અમલદારશાહીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં અવી રહ્યું છે.

પર્ચા-પર્ચા ખર્ચા!

ભારત સરકારના કાયદા વિભાગના એક મોટા અધિકારી છે. આજકાલ તેમનું નામ ચિઠ્ઠીમાં ખૂબ ચગી રહ્યું છે. આ ચિઠ્ઠીમાં તેમના બેંક ખાતાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠી સુપ્રીમ કોર્ટ સંકુલમાં પણ ફરી રહી છે.

ટિકિટ નહીં તો ભારત રત્ન જ સહી!

અમે અગાઉ તમને જણાવ્યું હતું કે પંજાબની એક સુરક્ષિત બેઠકના ચક્કરમાં લોકસભા સ્પીકર મીરા કુમાર પંજાબી શીખી રહ્યાં છે. પરંતુ હવે જ્યારે હોશિયારપુર સુરક્ષિત બેઠકના સંતોષ ચૌધરીને રાજ્યમંત્રી બનાવાયા છે, તો જાહેર છે કે તેમનું પત્તું કપાય તેવી અપેક્ષા નથી. પછી શું કરીએ? હવે પ્રયત્ન એ છે કે દલિત, મહિ‌લા અને સ્પીકર- આ ત્રણે શરતોને પૂરા કરનારા મહિ‌લાને ભારત રત્ન આપવામાં આવે. તર્ક એ છે કે તેનાથી કોંગ્રેસને દલિત બેઠકો મળશે અને એ પણ કે તેનાથી એ ભારત રત્નને ચૂંટણી નહીં લડવાનું એક નક્કર કારણ પણ મળી જશે.

મહાનતાની ફેકટરી

પ્રશ્ન- મહાન કોણ છે? સમય કે વ્યક્તિ? સમય વ્યક્તિને મહાન બનાવી દે છે, કે મહાન વ્યક્તિ સમયને મહાન બનાવી દે છે? જવાબ છે, મહાન તો મીડિયા હોય છે, તે સમય અને વ્યક્તિ બંનેને મહાન બનાવી દે છે. પ્રશ્ન- મીડિયાને કોણ મહાન બનાવે છે? ઉત્તર- ફૂલો અને લાઇટનિંગનો ખર્ચ મીડિયાને મહાન બનાવે છે. હવે જુઓ ૨૪ જુલાઇનો મહાન દિવસ. લોકસભા ટીવીની સાતમી વર્ષગાંઠ. લોકસભા સ્પીકર મીરા કુમારના ઇન્ટરવ્યૂનો પુનિત અવસર. લોકસભા ટીવી ઢગલાબંધ ફૂલો અને લાઇટનિંગના સહારે મહાન બની ગયું.

ટ્વિટર અમ્પાયર!

શું ટ્વિટરને રાજકારણની મેચના અમ્પાયર બનાવી શકાય? લાગતું તો નથી, પણ હોઇ શકે છે. હવે જુઓ નરેન્દ્ર મોદીના જવાબમાં કોંગ્રેસ આંકડા પર આંકડા રજૂ કરવામાં લાગી ગઇ છે. ગત દિવસોમાં કોઇ પ્રસંગે જ્યારે વડાપ્રધાન ભાષણ આપી રહ્યા હતા, ત્યાં તેમનું માઇક ખરાબ થઇ ગયું હતું. તેના પર મોદીએ કટાક્ષ કર્યો હતો કે તેનાથી શું ફેર પડે છે, વડાપ્રધાન બોલે છે જ શું? કદાચ તેના જ જવાબમાં પીએમઓના અધિકૃત ટ્વિટર પર જણાવાયું હતું કે વડાપ્રધાનજી ૨૦૦૪માં પીએમ બન્યા પછીથી અત્યાર સુધી ૧૩૦૦ ભાષણ આપી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ ૨૦૦ ભાષણ ૨૦૦૬માં આપ્યાં હતાં. જો કે ત્યાર બાદથી સ્કોર અને સ્ટ્રાઈક રેટ બંને ઘટતા ગયા છે. એવી ચર્ચા છે કે જો વડાપ્રધાનને આ ટ્વિટ પસંદ પડશે તો આગામી સ્કોર ૧૩૦૧ થઇ જશે.

દિલ્હીમાં છોટે સાહેબ

ઠાકરે પરિવાર દિલ્હીમાં પહેલાં ક્યારે ય જોવા મળ્યો નથી. બાલ ઠાકરે માટે તો દિલ્હી સુધી સંદેશો મોકલવા માટે 'સામના’ના સંપાદકીય કે માતોશ્રી જ પૂરતા હતા. મુંબઇમાં પણ બાળ ઠાકરે સામાન્ય રીતે કોઇને મળવા માટે માતોશ્રીથી બહાર જતા નહીં. જેને મળવું હોય તેને માતોશ્રી જવું પડતું હતું. પરંતુ આ વખતે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ આ પરંપરા તોડી અને દિલ્હી આવ્યા હતા. સાંસદ સંજય રાઉતે તેમના માટે પોતાના નિવાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પરંતુ દિલ્હી દિલાહીના વરસાદે ફિરોજશાહ રોડનો રસ્તો બંધ કરી દીધો હતો. પછી કોન્ફરન્સ કોિન્સ્ટટયૂશન કલબમાં રાખવામાં આવી હતી. જે થયું, જેવું થયું છેવટે પતી ગયું. જો કે ઉદ્ધવ ઠાકરેને તેમાં ભૂલ સુધારણા મુંબઇ જઇને જ કરવી પડી.

ચિરાગ હોય તો આવો

ચૂંટણીની ચર્ચા વેગીલી બની રહી છે અને આજ કાલ ઘણા ચિરાગ પોતપોતાના કૌટુંબિક રાજકારણનું નામ રોશન કરવા માટે પ્રજ્વલિત થવા લાગ્યા છે. કોઇ શક નથી કે રાજકારણમાં આવવું તેમનો અધિકાર છે. જન્મજાત અને લોકતાંત્રિક પણ. રાયબરેલીના કિલ્લાની સુરક્ષાની જવાબદારી ખુદ પ્રિયંકા વાઢેરાએ લઇ લીધી છે. રામવિલાસ પાસવાનના સુપુત્ર ચિરાગ પાસવાને પણ ફિલ્મોને અલવિદા કરી દીધી છે અને તે હવે પોતાના પાપાની પાર્ટીના સંસદીય બોર્ડના અધ્યક્ષ બની ગયા છે. હાલમાં જ પાપાની સાથે દિલ્હી પણ આવ્યા હતા અને પાપાની સાથે અડવાણી અને સુષમાને પણ મળ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પણ પિતા-પુત્ર સાથે જ દેખાયા હતા.

ક્યા કરે ચિરાગ ?

હવે વાત વધુ એક ચિરાગની જે મોટા થઈને અસલી ચિરાગ બની શકે છે. મતલબ કે પોટેન્શિયલ પોલિટિક્સ વાયા ફિલ્મ ઈન્ડસ્ટ્રી. સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીના નાના પુત્ર અજિત એન્ટનીની પ્રથમ ફિલ્મ આવી રહી છે. મલયાલયમ, તમિલ, તેલુગુમાં એક સાથે. અજિત એન્ટનીએ એક વાર કહ્યું હતું કે તેમના પાપાએ તેમને તેમની પસંદગીની કારકિર્દી ઘડવાની સલાહ આપી હતી. પરંતુ સંભળાય છે કે હવે પાપાને લાગે છે કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખતરનાક છે અને હવે તેમનો દીકરો ફિલ્મોમાં કામ કરે તેમ તેઓ નથી ઈચ્છતા. તો પછી દીકરો નામ રોશન કઈ રીતે કરશે ? જોઈએ હવે.

કેરલા એક્સપ્રેસ!

કેરળ માટે હવે કહેવાય છે કે રાજનીતિનો મુખ્ય ધંધો કૌભાંડ છે અને મજાની વાત એ છે કે જે કૌભાંડ નેતાઓના સેક્સકાંડ સાથે જોડાયેલાં છે તેની વિધાનસભામાં પણ ખાસ્સી ચર્ચા થાય છે. રાજ્યસભાના નાયબ અધ્યક્ષ પી.જે. કુરિયન સાથે જોડાયેલા સૂર્યાનેલ્લી સેક્સકાંડના આરોપ કોર્ટની હા-ના પર પેન્ડુલમની જેમ ઝૂલતા રહ્યા છે. વધુ એક કેસમાં કે.બી. ગણેશનું નામ આવ્યું છે. બીજી તરફ કેરળ આઈસક્રીમ કૌભાંડ ફરી ચર્ચામાં છે. ગૃહમંત્રી નિવાસનું સેક્સકાંડ પણ બહાર આવ્યું છે. જો ગૃહમાં બધાં સેક્સકાંડની ચર્ચા થાય તો વિચારો કે શું થશે ?

સરકારને ઉતાવળ છે

સરકારે ખાદ્ય સુરક્ષા અંગે વટહુકમ જાહેર કરી દીધો છે. પસાર પણ કરાવી જ નાખશે. વધુ એક વટહુકમ સેબીને વધુ અધિકાર આપવાનો છે. માલૂમ થયું છે કે આ વટહુકમથી રાષ્ટ્રપતિ વધારે ખુશ ન હતા અને તેમણે કેબિનેટ સચિવાલય તથા પીએમઓના અધિકારીઓને બોલાવીને પૂછી લીધું હતું કે હવે જ્યારે સંસદનું સત્ર નજીક જ છે ત્યારે વટહુકમની જરૂર શું છે ? જોકે સહી તેમણે કરી નાખી.

સરકાર રજા પર!

ઉત્તરાખંડની કુદરતી આફતના પાંચ દિવસ પછી રુદ્રપ્રયાગના તત્કાલીન ડીએમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સંભળાય છે કે જે દિવસે આફત આવી તે દિવસે એસપી સાહેબ જિલ્લામાં ન હતા અને ડીએમ સાહેબ પણ ન હતા. એક સાહેબ રજા પર બહાર હતા અને બીજા સાહેબ પણ તેમને બહારથી ટેકો આપી રહ્યા હતા.

0 comments:

Post a Comment