- હી-મેન પુત્તર લુધિયાણાથી.
હી-મેન ધમેન્દ્રના હી-પુત્તર એટલે કે સની દેઓલ લુધિયાણાથી અકાલી દળની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. પણ, હી-પુત્તરનો ઇરાદો રાજનીતિને સાચેજ ગંભીરતાથી લેવાનો છે. ધર્મેન્દ્ર રાજનીતિમાં પૂરો સમય આપી શક્યા નહોતા.
- હુકૂમત-એ-આઝમ
કોઇ લેખિત આદેશ નથી. વાયરલેસ મેસેજ પાછળથી મુશ્કેલી ઊભી કરે છે. એટલા માટે જ્યાં સુધી થઇ શકે, કોઇ વાયરલેસ મેસેજ પણ નથી. આખુ કાર્ય મૌખિક ઢંગથી કરવામાં આવ્યું છે. અને હુકમ બાદશાહનો છે કે સમગ્ર સુબાનો એકેય થાનેદાર(એસ.એચ.ઓ) કોઇ મુસ્લિમની સામે એફઆઇઆર નોંધશે નહીં. જો અત્યંત જરૂરી હોય તો પોતાના ઉપરીની પરવાનગી માગશે અને ઉપરી કોની પરવાનગી માંગશે? એ પછી ક્યારેક બતાવીશું. આમ તો, યુપીનું વહીવટીતંત્ર આ બધી બાબતોથી ટેવાઇ ગયું છે.
- વાત અદાલતની
હવે વાત અદાલતની. કોલેજિયમ સિસ્ટમ પર તપાસ આવવાના અણસાર સર્જાયા છે. જુઓ, તાજેતરમાં ભરતી ઉપરાંત રાજસ્થાન હાઇકોર્ટથી એકેય જજ ચીફ જસ્ટિસ નથી. મધ્યપ્રદેશના કોઇ જજ સુપ્રીમ કોર્ટમાં નથી. જ્યારે દિલ્હીથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ છે અને એક જજ ચીફ જસ્ટિસ છે. એવી જ રીતે મંુબઇથી પણ સુપ્રીમ કોર્ટમાં બે જજ છે અને બે જજ ચીફ જસ્ટિસ છે.
- પીએમ દુ:ખી છે
રાયસીના રોડ પર મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને જે ભાષણ વાંચ્યું, તેને અલગ રાખી દો. અમને કોઈ ઊડતી ચકલીએ જણાવ્યું છે કે પીએમે તેમના નિકટના લોકો વચ્ચે કહ્યું છે કે તેઓ મીડિયાથી ઘણાં દુખી છે.
- પીએમ શ્રીલંકા જશે
પીએમની નવાઝ શરીફ સાથે સંભવિત મુલાકાત ભલે હાલ ઘોંચમાં પડી હોય, પરંતુ તેઓ શ્રીલંકા જાય તેવી શક્યતા તો છે જ. જોકે દક્ષિણમાં અને ખાસ કરીને તમિલનાડુમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
0 comments:
Post a Comment